જિલ્લામાં સરળ સરકારી સેવા-ddoનો અનુરોધ

*જામનગર જિલ્લામાં વિવિધ દિવસોએ સેવા સેતુ કાર્યકમ યોજાશે*
*જામનગર તા.13 સપ્ટેમ્બર,* રાજયના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે શહેરી વિસ્તારમાં અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા કક્ષાએ તથા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા કક્ષાએ આગામી તારીખ 17/09/2024 થી સેવા સેતુ કાર્યક્રમનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જે અનુસાર, જામનગર જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ તારીખ 17/09/2024 થી તારીખ 31/10/2024 સુધીમાં સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જેમાં રાજ્ય સરકારશ્રીના કુલ 13 વિભાગોને લગત 55 જેટલી વિવિધ પ્રકારની સેવાઓ કાર્યક્રમ માટે નિયત તારીખો અને સ્થળોએ સવારના 09:00 થી સાંજના 05:00 કલાક સુધી સમાવિષ્ટ ગામો કે વોર્ડની જાહેર જનતાને પૂરી પાડવામાં આવશે.
તેથી જામનગર જિલ્લાના તમામ નાગરિકોને ઉકત કાર્યક્રમમાં સહભાગી બનવા માટે અને ઉકત જણાવ્યા અનુસાર સેવાઓનો લાભ લેવા માટે અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*સેવા સેતુના જામનગરના વિવિધ દિવસો પર યોજાનાર કાર્યક્રમની યાદી..*
(1) ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ જોડીયા તાલુકાના લીંબુડા, ૦૮/૧૦/૨૦૨૪ ના કેશિયા અને ૨૨/૧૦/૨૦૨૪ ના મેઘપર ગામે
(2) ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા, ૨૪/૦૯/૨૦૨૪ ના લતીપુર અને ૧૭/૧૦/૨૦૨૪ ના લૈયાળા ગામે
(3) ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ જામનગર ગ્રામ્ય તાલુકાના ફલ્લા, ૧૮/૧૦/૨૦૨૪ ના મોટા થાવરિયા અને ૨૫/૧૦/૨૦૨૪ ના કનસુમરા ગામે
(4) ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ લાલપુર તાલુકાના પીપરટોળા, ૩૦/૦૯/૨૦૨૪ ના ભણગોર અને ૧૫/૧૦/૨૦૨૪ ના પડાણા મુકામે,
(5) ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કાલાવડ તાલુકાના વોડીસાંગ, ૨૭/૦૯/૨૦૨૪ ના નવાગામ અને ૧૯/૧૦/૨૦૨૪ ના રોજ નાનાવડાળા ગામે.
(6) ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ જામજોધપુર તાલુકાના ધુનડા, ૩૦/૦૯/૨૦૨૪ ના સતાપર અને ૧૪/૧૦/૨૦૨૪ ના શેઠવડાળા મુકામે સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેની જામનગર જિલ્લાની તમામ જાહેર જનતાને ખાસ નોંધ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
________________
ડીડીઓ વિકલ્પ ભારદ્વાજનો અનુરોધ
સેવા સેતુ એક પ્રકારે “સરકાર તમારે દ્વાર” જેવુ છે માટે જિલ્લાના લોકો વધુમાં વધુ લાભ લે તે માટે જિલ્લા વિકાસ અધીકારી વિકલ્પ ભારદ્વાજે અનુરોધ કરતા ઉમેર્યુ છે કે વહીવટી ગતિશીલતા લોકોની સુગમતા એ સેવાસેતુ કાર્યક્રમનો હેતુ છે અને લોકોને જરૂરી પાયાના દસ્તાવેજો માટે અગવડ ન પડે તેવો સરકારનો હેતુ છે
_____________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





