GUJARATIDARSABARKANTHA

હિંમતનગરના ધાણધા ખાતે કરૂણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત બેઠક યોજાઇ

હિંમતનગરના ધાણધા ખાતે કરૂણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત બેઠક યોજાઇ*
**
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં વન ચેતના કેન્દ્ર ધાણધા ખાતે કરૂણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત બેઠક યોજાઇ હતી.

આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં તા.૧૦મી જાન્યુઆરી થી તા.ર૦મી જાન્યુઆરી-ર૦ર૬ દરમ્યાન કરૂણા અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું છે.

કરૂણા અભિયાન ૨૦૨૬ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા ૧૧ કલેક્શન સેન્ટર, વિવિધ એનજીઓ દ્વારા ૧૦ કલેક્શન સેન્ટર અને પશુ ચિકિત્સાના સારવારના ૧૫ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સએપ નંબર કાર્યરત કર્યા છે. તેમજ રાજ્યના તમામ પક્ષી સારવાર કેંદ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયંમ સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ વોટસઅપ મેસેજમાં karuna મેસેજથી મળી રહેશે.

આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા વન વિભાગે સૌને અપિલ કરી હતી.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી પી.જે.ચૌધરી, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગના અધ્યક્ષશ્રી ડિ.આઇ.ગઢવી, નાયબ પશુપાલક નિયામકશ્રી જે.બી.પટેલ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના મંત્રીશ્રી ડો. આર.એસ.પટેલ, હિંમતનગર આર.એફ.ઓ શ્રી એચ.કે.પંડ્યા તથા તમામ આર.એફ.ઓશ્રીઓ તેમજ વિવિધ સેવાભાવી એન.જી.ઓના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!