DAHODGARBADAGUJARAT

ગરબાડા સરકારી વિનયન કોલેજ, ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

તા.૨૬.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા સરકારી વિનયન કોલેજ, ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા ટીબી એચ.આઈ.વી.ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સુચના અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે “ઇન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમની થીમ “ROUTES OF TRANSMISSION & PREVENTION STRATEGIES” એચ.આઇ.વી. અને જાતીય રોગોથી બચાવ માટે લોકોમાં જાણકારી હોવી ખુબ જરૂરી હોય લોકોમાં જાગૃત્તી આવે તે માટે સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આરોગ્યના વિવિધ પ્રોગ્રામના તજજ્ઞો દ્વારા એચ.આઈ.વી, ટીબી, સીફીલીશ, એસ.ટી.આઈ, હિપેટાઈટીશ, સિકલસેલ, લેપ્રસી જેવા રોગો વિષે આરોગ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે કે, વિદ્યાર્થીઓને સમયસર સેવાઓ વિશે જાણકારી મળે અને ટેસ્ટીંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવર્નેશ થાય. તથા વધુ જાણકારી માટે નજીકના આરોગ્ય સંસ્થાની મુલાકાત લે. આ કાર્યક્રમમાં જીલ્લા રક્તપિત મેડિકલ ઓફિસર એ. સી. પી. , એડોલેશન કાઉન્સેલરશ્રી, ટી.બી. એસ.ટી.એસ. પિરામલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ, કોલેજના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!