WAKANER :વાંકાનેર ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપીનો નિદોર્ષ છુટકારો
WAKANER :વાંકાનેર ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપીનો નિદોર્ષ છુટકારો
મોરબીના એડી. સેસન્સ કોર્ટ(સ્પેશયલ પોકસો કોર્ટ)માથી વાંકાનેરના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાના ઓનો ર્નિદોષ છુટકારો.
આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી સંજયભાઈએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની છે તેવું જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધીને એવી મતલબની વાંકાનેર પો. સ્ટેમાં ફરીયાદ કરેલ. આ ફરીયાદના કામે પોલીસે આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાની ધરપકડ કરવામાં આવેલ. આ કામના આરોપી વતી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રીઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દવારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નિર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય.તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દવારા આ કામના આરોપી ને ભારતીય દંડ સંહીતાની કલમ-,૩૬૩,૩૬૬, મ-,૩૬૩,૩૬૬,૩૭૬ (૨)(જે) (એન), ૩૭૬(૩) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૫(એલ),૬ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી પ્રખ્યાત એડવોકેટશ્રી દિલીપભાઈ અગેચાણીયા, જીતેન. ડી અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.