GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

આજે ઉનાઈ માતાજી મંદિર ખાતે યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં’દીપાવલી’ના અપેક્ષિત સમાવેશ પ્રસંગે વિશેષ કાર્યક્રમ…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ Intangible Culture Heritageની આંતર-સરકારી સમિતિનું ૨૦ મું સત્ર તા. ૦૭  થી ૧૩  ડિસેમ્બર ૨૦૨૫  દરમિયાન યોજાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫  માટે “દીપાવલી”ને યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ કરવા ભારત દ્વારા નામાંકન મોકલવામાં આવ્યું  હતું. જેના અનુસંધાને આ પવિત્ર તહેવારના અપેક્ષિત સમાવેશની સુંદર શક્યતા ઊભી થઈ છે. આ પ્રસંગને ઉજવવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ દીવા પ્રગટાવવાના, રોશની અને રંગોળીના કાર્યક્રમો આયોજન અંતર્ગત નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર ખાતે તા.૧૦/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૭:૩૦  થી ૮:૩૦  દરમિયાન વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યગૌરવ  પ્રસંગે નવસારી જિલ્લાના નાગરિકોને ઉનાઈ માતાજી મંદિર ખાતે સહભાગી થવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે .

Back to top button
error: Content is protected !!