Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું
તા.૩૦/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા, વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડિયાના નેતૃત્વ હેઠળ પંકજભાઈ સોલંકી દ્વારા તથા યુવા પત્રકાર રોનક સોલંકી શ્રી. પંકજભાઈ સોલંકી, પત્રકાર દસનામી હનુમાનના,આશ્રમના મહંત પૂ શ્રી. રામદાસ બાપુ, તથા તેમના પુત્ર મહેશભાઈ રાણવા તથા તેમની પુત્રવધુ મીનાબેન રાણવા તથા ખારવા સમાજના આગેવાન રામજીભાઈ પાંજરી, તથા તેમના પત્ની શાંતાબેન પાંજરી, તથા તેમના પુત્ર પૃથ્વીભાઈ પાંજરી, તથા પુત્રવધુ કૃષાંગીબેન પાંજરી.સહિતના લોકો અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૦ થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી સહભાગી થયા હતા
આ પ્રસંગે વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી જણાવ્યું હતું કે, “વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે.આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ.”
આ કાર્ય ને પ્રશંસનીય ગણાવ્યું અને કહ્યું કે, “આ પ્રકારના અભિયાનો દ્વારા શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે.” નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ સફળ રહ્યું અને શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે.તેવું જાણવા મળ્યું હતું
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.