GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ઠિકરીયાળા સરકારી માધ્યમિક શાળા ખાતે રંગોળી દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ અપાયો
તા.૨/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આગામી લોકસભા ચુંટણીમાં મત આપવા માટે તા.૭ મે અને મંગળવારનો દિવસ નિર્ધારિત છે, ત્યારે સમગ્ર રાજકોટના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ કરવા માટે મોટી સંખ્યામાં રાજકોટ સંસદીય મતવિસ્તારનાના તમામ ભાગોમાં વિવિધ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. જે ઉપક્રમે વાંકાનેર તાલુકાની ઠિકરીયાળા સરકારી માધ્યમિક શાળામાં રંગોળી દોરીને શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા મતદાન અવશ્ય કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.