તા.૨૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણીનું મતદાન તા. ૭ મે, ૨૦૨૪ના રોજ યોજાનાર છે, જેમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.
જે અન્વયે ટંકારા શહેરમાં રાજકોટ અધિક કલેટર અને સ્વીપના નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ ૬૬ – ટંકારા વિધાનસભા મતદાર વિભાગના પડધરી તાલુકાના હડમતીયા ગામ તથા વણપરી ગામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સુપરવાઈઝરોને ચૂંટણીલક્ષી એપ્લિકેશન તથા મતદાન પ્રક્રિયા અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અંગે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે સબંધિત અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.