DAHODGUJARAT

દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારના ૩૨ કેવોટર નજીક યુવકે રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરી લેતા વિસ્તારના ચકચાર મચી

તા. ૦૭. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારના ૩૨ કેવોટર નજીક યુવકે રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરી લેતા વિસ્તારના ચકચાર મચી

આજરોજ તા૦૬.૦૭.૨૦૨૪શનિવાર ૧૧ કલાકે મળતી માહિતી અનુસાર દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારના ૩૨ ક્વોટર નજીક રેલ્વે ટ્રેક પર કોઈ અજાણયા યુવકએ પડતું મૂકી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી કોઈ અજાણયા યુવકએ રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરી લેતાની જાણ દાહોદ રાજકીય રેલ્વે પોલિસ અને આર.પી.એફ ને કરતા પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી પંચનામું કરી મૃતદેહનો કબ્જો મેળવી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી યુવકના પરિવારની શોધખોડ હાથ ધરતા યુવક દાહોદ તાલુકાના વાંદરિયા ગામનો રહેવાસી અને તેનુ નામ દશરથભાઈ અને પિતાનું નામ મનુભાઈ પસાયા હોવાનું જાણવાં મળતા રાજકીય રેલ્વે પોલીસે પરિવારનો સંપર્ક કરી દશરથભાઈનું રેલ્વે ટ્રેક નીચી પડતું મૂકી આપઘાત કરી લેતાના સમાચાર કહેતાજ પરિવારના શોકનું મોજું ફરી વડ્યું હતું હાલ યુવકએ ક્યાં કારણો સર રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યું એની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!