BHARUCHGUJARATNETRANG

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુઓ અંગે આપેલા નિવેદનને લઈને ભરૂચના નેત્રંગ પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ અરજી આપવામાં આવી છે

 

 

પટેલ બ્રિજેશકુમાર, નેત્રંગ

 

લોક્સભામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હિંદુ સમાજ વિશે કરેલી ટીપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે કેટલાક લોકો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં તેમજ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી રહી છે.આ સંદર્ભમાં ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે. એડવોકેટ સ્નેહલ પટેલે લેખિતમાં અરજી કરી રાહુલ ગાંધીએ 120 કરોડ હિંદુઓની માફી માંગે અને તેમના વિરુધ્ધ કડક કાર્યવાહી થાય તથા કાયદેસરનો ગુનો નોંધવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!