BODELICHHOTA UDAIPURGUJARAT
કવાંટ બ્રિજના ગાબડાથી ટ્રાફિક ઠપ AAPએ રામધૂન સાથે સરકારને ઘેર્યા

“ગંભીરા બ્રિજ જેવી ઘટના ફરી બને તો તેની જવાબદારી કોણ લેશે?”કાર્યકરોએ બ્રિજ પર રામધૂન બોલાવી, તેમજ ‘ભાજપ સરકાર હાય હાય’ ના નારા લગાવી સરકારના માર્ગ અને મકાન વિભાગની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા હતા.
બ્રિજની હાલત અત્યંત ખરાબ હોવાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, તેમજ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અધિકારીઓએ બ્રિજનું નિરીક્ષણ કરી, શક્ય તેટલી ઝડપી ગતિએ સમારકામ શરૂ કરવાની ખાતરી પણ આપી છે જાહેર જનતા અને દૈનિક મુસાફરો માટે આ બ્રિજ અત્યંત મહત્વનો હોવાથી, લોકોમાં આશા વ્યક્ત થઇ રહી છે કે વિભાગ તાત્કાલિક પગલા લઇ બ્રિજનું સમારકામ કરે અને કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકાવે.
રિપોર્ટર : તોસીફ ખત્રી





