BANASKANTHADEODARGUJARAT

આચાર્યની બદલી થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો તંત્રે બદલી રોકી દીધી 

ગ્રામજનો અને વાલીઓની મહેનત રંગ લાવી માગણી સ્વીકારાઈ

 

દિયોદર ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય ને પુન શાળામાં મુકાયા ગ્રામજનોએ મો મીઠું કરાવી સ્વાગત કર્યું

 

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

 

આચાર્યની બદલી થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો તંત્રે બદલી રોકી દીધી 

 

દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય ની એકાએક અંદરો અંદર વિખવાદ ના કારણે બદલી કરાતા સમસ્ત ગ્રામજનોએ બદલી રોકવા માટે વિરોધ નોંધાવી આચાર્ય ની બદલી રોકવાની માંગ કરી હતી જેને પગલે આખરે તંત્રએ આચાર્ય ની બદલી રોકી પુન શાળામાં મૂકતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો જેમાં ગામલોકોએ શાળા બહાર આચાર્ય ને મો મીઠું કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો

 

દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય દુદારસિંહ ચૌહાણ ની તાજેતરમાં અંદરો અંદર વિખવાદ ના કારણે બદલી કરતા ગોલવી ગામના વિધાર્થીઓના વાલીઓ અને સમસ્ત ગામલોકોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય ની બદલી નો ઑડર રદ કરી ગોલવી નવા પ્રાથમિક શાળામાં રાખવાની માંગ કરી હતી જેને પગલે જિલ્લા શિક્ષણ વિભાગે સમસ્ત ગ્રામજનોની માગણીઓ ને ધ્યાને લઈ આચાર્ય દૂદારસિંહ ચૌહાણ ની બદલી રોકી પુન આચાર્ય તરીકે ગોલવી નવા પ્રાથમિક શાળામાં મૂકતા ગામલોકોમાં આનંદ છવાયો હતો જેમાં શુક્રવારે શાળાના આચાર્ય શાળાએ હાજર થતા સમસ્ત ગામલોકોએ શાળા બહાર આચાર્ય નું સ્વાગત કરી મો મીઠું કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં સમસ્ત ગામલોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!