આમ આદમી પાર્ટી એક્શન મોડમાં, ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી ગોપાલ રાયની નિયુક્તિ
ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયજી અને સહ પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકજીની નિયુક્તિ: ઈસુદાન ગઢવી

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી: ઈસુદાન ગઢવી
ગોપાલ રાયજી વિદ્યાર્થી જીવન દરમિયાનથી પોલિટિક્સ સાથે જોડાયેલા છે અને આમ આદમી પાર્ટીના સંગઠનમાં તેમની ખૂબ જ પકડ છે: ઈસુદાન ગઢવી
દુર્ગેશ પાઠકજીએ પણ સંગઠનમાં માઈક્રો લેવલ સુધી ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યું છે અને તેમની આગેવાનીમાં ચૂંટણીઓ પણ લડાઈ છે: ઈસુદાન ગઢવી
ગુજરાતના નવનિયુક્ત પ્રભારી અને સહપ્રભારીને આમ આદમી પાર્ટી ગુજરાતની ટીમ આવકારે છે: ઈસુદાન ગઢવી
નવનિયુક્તિ બાદ ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી ગુજરાતમાં આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયની નિયુક્તિ કરવામાં આવી છે. સાથે સાથે સહ-પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ નવનિયુક્તિ બાદ ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. ગોપાલ રાયજી વિદ્યાર્થી જીવન દરમિયાનથી પોલિટિક્સ સાથે જોડાયેલા છે અને આમ આદમી પાર્ટીના સંગઠનમાં તેમની ખૂબ જ પકડ છે અને તેઓએ વર્ષો સુધી દિલ્હીના અલગ અલગ પદો પર પોતાની સેવા આપી છે અને મંત્રી તરીકે પણ તેઓ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. દુર્ગેશ પાઠકજીએ પણ સંગઠનમાં માઈક્રો લેવલ સુધી ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યું છે અને તેમની આગેવાનીમાં ચૂંટણીઓ પણ લડાઈ છે. ગુજરાતના નવનિયુક્ત પ્રભારી અને સહપ્રભારીને આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની ટીમ આવકારે છે.






