GUJARATNAVSARI

નવસારીથી અજય ખાટીક ગુમ થયા છે : ભાળ મળ્યેથી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર અજય મોહનલાલ ખાટીક રહે- મહાવીર મારબલ , બારડોલી રોડ, નવસારી. મૂળ રહે. નાથદ્વારા  દેપર ગામ, નાલા રાજસ્થાનના તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ નવસારી ખાતેથી કોઇને કંઇપણ જાણ કર્યા વગર કયાંક જતા રહયાં છે. ગુમ થનાર અજય ખાટીકની ઉ.વ.-૧૮, ઉંચાઇ પ ફૂટ, રંગે ઘઉંવર્ણ, મધ્યમ બાંધાના છે. તેઓએ શરીરે લાલ તથા કાળા કલરની ફુલબાયની ટી-શર્ટ તથા બ્લ્યુ કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે. તેઓ ગુજરાતી-હિન્દી અને મારવાડી ભાષા જાણે છે. ગુમ થનારની ભાળ મળ્યેથી નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!