NATIONAL

મુસ્લિમ કપલે હિંદુ મંદિરમાં કર્યા નિકાહ, RSS-VHP ના લોકો બન્યા સાક્ષી

દેશમાં જ્યાં દરેક નાની-નાની વાત પર હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ વધી જાય છે. આવી સ્થિતિમાં સમાજને ધાર્મિક સૌહાર્દનો સંદેશ આપવા માટે રવિવારે શિમલા જિલ્લાના રામપુરમાં એક હિંદુ મંદિર પરિસરમાં મુસ્લિમ યુગલના ઈસ્લામિક વિધિ અનુસાર નિકાહ કરવામાં આવ્યા હતા.

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સંચાલિત ઠાકુર સત્યનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા આ નિકાહમાં મુસ્લિમ અને હિન્દુ સમુદાયના લોકો એકસાથે ઉભા હતા અને મંદિરમાં મુસ્લિમ યુગલના લગ્નના સાક્ષી બન્યા હતા. મૌલવી, સાક્ષીઓ અને વકીલની હાજરીમાં મંદિર પરિસરમાં નિકાહ સમારોહ યોજાયો હતો. મંદિર પરિસરમાં આ નિકાહ કરાવવાનો હેતુ લોકોમાં ધાર્મિક સદભાવ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો હતો.

સત્યનારાયણ મંદિર પરિસર વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જિલ્લા કાર્યાલય છે. રામપુરના ઠાકુર સત્યનારાયણ મંદિર ટ્રસ્ટના મહાસચિવ વિનય શર્માએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જિલ્લા કચેરીઓ મંદિરમાં ચાલે છે. વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ પર વારંવાર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવે છે. પરંતુ અહીંના હિંદુ મંદિર પરિસરમાં એક મુસ્લિમ યુગલે નિકાહ કર્યા હતા

આ પોતાનામાં જ એક ઉદાહરણ છે કે, સનાતન ધર્મ હંમેશા દરેકને સાથે લઈને આગળ વધવાની પ્રેરણા આપે છે. દુલ્હનના પિતા મહેન્દ્ર સિંહ મલિકે કહ્યું કે, તેમની પુત્રીના નિકાહ રામપુરના સત્યનારાયણ મંદિર પરિસરમાં થયા હતા. વિશ્વ હિંદુ પરિષદ હોય કે, મંદિર ટ્રસ્ટ, શહેરના લોકોની સાથે તેઓએ આ નિકાહના આયોજનમાં મદદ કરીને સકારાત્મક અને સક્રિય નેતૃત્વ લીધું હતું. જેના કારણે રામપુરના લોકોએ લોકોમાં ભાઈચારાનો સંદેશો આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણે એકબીજાને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં જેથી પરસ્પર ભાઈચારો બગડે. તેમણે કહ્યું કે તેમની પુત્રી એમ.ટેક સિવિલ એન્જિનિયર અને ગોલ્ડ મેડલિસ્ટ છે અને તેમના જમાઈ સિવિલ એન્જિનિયર છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!