GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમા વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિતે હોમિયોપેથી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે
MORBI:મોરબીમા વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિતે હોમિયોપેથી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે
શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા મોરબી દ્વારા હોમીયોપેથી ના જનેતા ડૉ. હેનીમેન ની જન્મ દિવસ નિમિતે (૧૦/૪/૧૭૫૫)
હોમીયોપેથી જે કોઈ પણ આડ અસર રહિત તથા સરળ અને સચોટ સારવાર પદ્ધતિ છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આમ જનતા માં હોમીયોપેથી નો વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકો આવી નિર્દોષ,સરળ અને સસ્તી સારવાર પદ્ધતિ તરફ વળે અને લોકો તેનો વધુને વધુ લાભ લે તે હેતુ થી આપણા મોરબી જલારામ મંદિર , આયોધ્યાપૂરી રોડ ખાતે કેમ્પ નું આયોજન કરેલ છે.
જેમાં જિલ્લા માં આવેલ સરકારી હોમીયોપેથીક દવાખાના માં ફરજ બજાવતા તમામ મેડિકલ ઓફિસર દ્વારા ૧૦ એપ્રીલ ૨૦૨૫ ને ગુરુવાર સ્થળ : જલારામ મંદિર,અયોધ્યાપૂરી મેઈન રોડ મોરબી સમય:સવાર ,09 થી 12:30 સુધી સેવા આપશે