પાટડીની ફતેપુરા પ્રાથમિક શાળામાં 20થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતા રહ્યા
તા.17/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફડાતફડી મચી જવા પામી હતી બાદમાં શાળાના બાળકોએ રોકકળ સાથે આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતાં મળતી માહિતી મુજબ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા તો તાલુકા શિક્ષણ અધિકારીએ જમાવ્યું કે શિક્ષકોને એમ હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે બાદમાં જાણ થતાં શિક્ષકોએ જ આવીને બળકોને બહાર કાઢ્યા હતા ઘટનાની મળતી માહિતી મુજબ પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં 21 જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા આ બાદ ગભરાયેલા બાળકોએ રોકકળ કરતાં આજુ બાજુના લોકોને ધ્યાને આવ્યું હતું આ બાદ બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને બાળકોને શાળામાં બંધ જોઇ વાલીઓએ આક્રોશ ઠાવ્યો હતો શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો જેમાં બાળકો રોકકળ કરતા મમ્મી.પપ્પા.મમ્મી.પપ્પા.. કરીને અને રોતા જોવા મળે છે આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળાનો ગેટ તોડી નાખ્યો હતો અને બાળકોને બહાર કાઢ્યા હતા આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના અંદાજે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે શિક્ષકો શાળામાં બંધ કરીને જતા રહેતાં ડરી ગયેલા નિર્દોષ બાળકો સંડાશ અને પેસાબ પણ કરી ગયા હતા આ બાળકોના વાલીઓએ શાળામાં દોડી જઈ શિક્ષકોનો રીતસરનો ઉધડો લઈ હલ્લાબોલ કર્યો હતો બાદમાં ગામના આગેવાનો દોડી આવતા સમજાવટના અંતે દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ મામલો થાળે પડ્યો હતો આ અંગે તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકીએ જણાવ્યું કે આ ઘટનાની જાણ થતાં મે આ બનાવની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે ફત્તેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા એટલે શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા બાદમાં એમણે બાળકો શાળામાં બંધ થયાનું ધ્યાનમા આવતા તેઓ તરત જ પાછા સ્કૂલમા આવીને દરવાજો ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા હાલ મે આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!