
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ શિરડી સાઈ બાબાનાં દર્શન કરી પરત સુરત ફરી રહેલ સુરતનાં પ્રવાસીઓની કાર.ન.જી.જે.06.જે.ક્યુ.0046 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને ખીણમાં ખાબકતા બચી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બનાવમાં કારમાં સવાર સુરતી પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ પોહચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતનાં બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ..





