સંતરામપુર એસટી સ્ટેન્ડ ઉપર અજાણી વ્યક્તિને ખેંચ આવતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર ખાતે સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થયું
- રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર એસટી સ્ટેન્ડ ઉપર એક અજાણી વ્યક્તિને ખેંચ આવતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા….
સારવાર દરમિયાન આધેલ વ્યક્તિનું મૃત્યુ થયું.
સંતરામપુર એસટી સ્ટેન્ડ પર તા.20/04/2024 ના રોજ બપોરના આશરે 12/30 કલાકે કોઈ એકઅજાણ્યો ઈસમ જેની ઉંમર વર્ષ આશરે 36 નાઓ સંતરામપુર એસ.ટી. સ્ટેન્ડ માં પ્લેટ ફોર્મ નંબર 1 ઉપર આવેલ પાણીના પરબે પાણી પીવા જતાં અચાનક તે દરમિયાન ખેંચ આવતાં બસ સ્ટેશનની પરબ પાસે બેભાન હાલતમા પડી જતા સંતરામપુર ડેપોના ફરજ પરના એ.ટી.આઈ હિતેન્દ્રસિંહ મકનસિંહ પૂંવાર નાઓએ 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરી બોલાવેલ અને ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિ ને વઘુ સારવાર માટે 108 મારફતે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા.જયા આ અજાણ્યા વ્યક્તિ નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જેની જાણ સરકારી હોસ્પિટલ સંતરામપુર દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે કરતા સંતરામપુર પોલીસે આ બનાવમાં અકસ્માત મોત ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથધરી ને સદર લાશનું પી.એમ.કરાવી તેના વાલી વારસોની તપાસ કરવા મરણ જનારની ડેટ બોડી ગોધરા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે.
સદર મરણ જનાર ઈસમે શરીરે ભુખરા કલર નું ડિઝાઇન વાળુ આખી બાયનું શર્ટ તથા કમરે કાળા કલરનો પેન્ટ પહેરેલ છે.અને આ મરનાર વ્યક્તિની જો કોઈ ને જાણકારી હોય તો સંતરામપુર પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવાવધુમાં જણાવ્યું છે .
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.