આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો રૂપિયા 12.20 લાખ ઉપરાંતની રકમ ભરપાઈ ન કરનાર 57 દુકાનો કરવામાં આવી સીલ

આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો રૂપિયા 12.20 લાખ ઉપરાંતની રકમ ભરપાઈ ન કરનાર 57 દુકાનો કરવામાં આવી સીલ
તાહિર મેમણ- આણંદ- 21/01/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સુચના મુજબ ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલ મધુબન રિસોર્ટ ની સામે સ્વયં શેફાયર કૉપ્લેક્સમાં બાકી વેરો રૂપિયા 12,20,963 ભરપાઈ ન કરનાર 57 જેટલી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા 1,58,804 બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ ન કરનાર તમામ દુકાનદારો /હોટલ માલિકોને જણાવવામાં આવ્યું છે કે મનપાની નોટિસ મળે થી તાત્કાલિક બાકી વેરો જમા કરાવીને મહાનગરપાલિકા ને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે. જે દુકાનદારો દ્વારા બાકી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું છે.





