AHAVADANGGUJARAT

સાપુતારા-વઘઇ રોડ વચ્ચે સાકરપાતળ નજીક આવેલ’નંદી ઉતારા’બ્રિજ પર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માહિતીદર્શક બોર્ડ મુકાયા…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર રાજ્યમા પુલો, માર્ગો, અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લગતુ ખાસ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે.

આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા માર્ગ અને વિભાગ (રાજ્ય) દ્વારા પણ વિશેષ અભિયાન હાથ ધરી, રોડ સમારકામ તેમજ બ્રિજ નિરીક્ષણની કામગીરી હાથ ધરવામા આવી છે. જેના ભાગરૂપે તાજેતરમા જ સાપુતારા-વઘઇ આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના ‘નંદી ઉતારા’ મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિજ ‘ક્રિટીકલ પુઅર કેટેગરી’મા આવતા, તા.૧૨ જુલાઇના રોજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી આ બ્રિજ ઉપર ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કર્યો છે.ત્યારે આ બ્રિજ ઉપર સુરક્ષાના ભાગરૂપે કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણાના માર્ગદર્શન હેઠળ બ્રિજ પાસે તમામ પ્રકારના ચેતવણી અને માહિતી દર્શક બોર્ડ લગાવવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાર્યપાલક ઈજનેર,ડાંગ (મા×મ) વિભાગ (રાજય) હસ્તકના વઘઈ પેટા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વઘઇ-સાપુતારા રોડ પરના આ બ્રિજનુ નિર્માણ સને ૧૯૫૯/૬૦ દરમિયાન કરાયુ હતુ. ૧૦૮ મીટરની લંબાઈ ધરાવતા આ મેજર બ્રિજને બંધ કરાતા, અહીંથી પસાર થતા ભારે કોમર્શિયલ વાહનોને જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગ (૧) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બિલ્ધા-આવધા-ધરમપુર રોડ, તથા (૨) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બોપી-કાવડેજ-વાંસદા રોડનો ઉપયોગ કરવા એક જાહેરનામા દ્વારા જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!