કામદાર હિત માટે કેન્દ્ર સરકારને વધુ એક રજુઆત
મજુર મહાજન સંઘ જામનગર દ્વારા લઘુતમ પેન્શન માટે આવેદનપત્ર પાઠવાયુ
જામનગર (ભરત ભોગાયતા)
મજુર મહાજન સંઘ જે કામદારોના હિગ માટે સક્રિય છે અને અનેક પ્રકરણોમાં કામદારોની તરફેણમાં હુકમો,નિર્ણયો,ચુકવણીઓ વગેરે કરાવી કામદાર હિતને સાથે લઇ અવિરત કાર્યરત સંગઠન છે જેને મજુરોનુ હિત હૈયે રાખી કાયદાકીય જોગવાઇઓ મુજબ ન્યાય અપાવ્યા છે જેના અનેક ઉદાહરણો છે
મજુર મહાજન સંઘ કામદારોના મીનીમમ પેન્શનની રકમ વધારા માટે ૨૦૧૬ થી શાંતિપુર્વકની રજુઆત સાથે લડત આપી રહ્યુ છે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કામદારોના જુદા જુદા હિત માટે તબક્કાવાર રજુઆત કરે છે તેમજ ખાત્રી નહી પરંતુ કામદારના તરફેણમાં નિર્ણય લઇ અમલવારી થાય તે માટે મુદાસર સચોટ રજુઆત કરતુ રહે છે રાષ્ટ્રીય કક્ષાના સંગઠન મજુર મહાજન સંઘના જનરલ સેક્રેટરી,સીનીયર એડવોકેટ અને નોટરી પંકજભાઇ જોશી(જામનગર)એ જણાવ્યુ છે કે કામદારોની લઘુતમ પેન્શન રકમ વધારવા અને ઓછામાં ઓછું દર મહિને ૭૫૦૦ રૂપીયા કામદારોને પેન્શન મળે તેની અમોએ જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવેદનપત્ર પાઠવી વિનંતી કરી છે અને અમે આશા રાખીએ છીએ કે નબળા વર્ગ માટે સતત કાર્યરત રહેતી કેન્દ્ર સરકાર આ બાબતે લક્ષ્ય આપે જેથી કામદારોને નિવૃતિ બાદ જીવન ગુજરાનમાં સારો એવો ટેકો રહે તેમજ આ બાબત ગુજરાતના અને ભારતના કરોડો કામદારોને સ્પર્શતા મુદા અંગે છે હાલના ૭૮ લાખ બાદ પણ અવિરત રીતે કામદાર સંગઠનો જોડાઇ રહ્યા હોઇ એકંદર આ સંખ્યા કરોડમાં થઇ શકે છે એવુ શ્રમક્ષેત્રના નિષ્ણાંતોનુ માનવુ છે
જામનગર થી કલેક્ટર દ્વારા પાઠવાયેલા આવેદન પત્રમાં જણાવાયુ છે કે ૪ નવે.૨૦૨૨ ના સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ એમ્પ્લોયર પેન્શન સ્કીમની જોગવાઇઓ અનુસાર વાસ્તવિક પગાર પર લઘુત્તમ પેન્શન અને પેન્શનના લાભમાં પેટા વધારો કરવા અંગેની આ રજુઆત છે જે મીનીમમ ૭૫૦૦ કરવાની માંગણી છે
EPS 95 માટેની રાષ્ટ્રીય આંદોલન સમિતિ એ આ આવેદનપત્રમાં વડાપ્રધાનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે અને ભવિષ્યમાં સફળ સાહસ માટે પ્રાર્થના કરી છે. (જે પણ આ આવેદન પત્રની એક વિશેષતા છે અને જેમને રજુઆત કરી છે તેમને આ મુદો સ્પર્શ કતે તેવો છે
રાષ્ટ્રીય આંદોલન સમિતિએ EPS-95 પેન્શનરોના કલ્યાણ માટે નીચે મુજબ રજૂઆત કરી
1) કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી માનનીય ડૉ. મનસુખ માંડવિયાજીએ 78 લાખ પેન્શનરો (જે સંખ્યા અવિરત વધતી પણ હોઇ શકે છે)ની મુશ્કેલીઓ સાંભળવાની તક આપી અને લઘુત્તમ પેન્શન દર મહિને રૂ. 7500/- સુધી વધારવા માટે આશાવાદી ઉકેલની ખાતરી આપી છે વૃદ્ધ પેન્શનધારકોને રાહત મળે તે માટે તેના અમલીકરણ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
૨) EPS ૯૫ માટેની રાષ્ટ્રીય આંદોલન સમિતિએ માનનીય શ્રમ અને રોજગાર મંત્રીના ધ્યાન પર લાવ્યું કે પેન્શન ફંડ કોર્પસ અને કોર્પસને નુકસાન પહોંચાડ્યા વિના વધેલા પેન્શનનો બોજ સહન કરી શકે છે. માનનીય શ્રમ અને રોજગાર મંત્રીએ હંમેશા પેન્શનરોના મોટા હિતમાં કાર્ય કર્યું છે. અમે નમન સાથે રજૂ કરીએ છીએ કે દેશના વડા તરીકે, તમારા માનનીય માનનીય, વહેલી જાહેરાતથી વૃદ્ધ પેન્શનરોને ખુશી થશે જેઓ ખૂબ જ ઓછી પેન્શન મેળવી રહ્યા છે.
૩) હાલમાં ૧૯૫૧ થી સરકારી ફાળો ફક્ત ૧.૧૬% છે અને હાલ પણ નહિવત જેવો જ છે. સરકારી ફાળોમાં વધારો થવાથી પેન્શન કોર્પસના ચેસ્ટમાં જગ્યા વધશે અને ભવિષ્યમાં ક્યારેય ખાધનો મુદ્દો રહેશે નહીં( પેન્શનમાં વધારો થયો હોવા છતાં.)
૪) માનનીય સર્વોચ્ચ અદાલતે ૦૪/૧૧/૨૦૨૨ ના રોજ ખાસ કરીને ફકરા ૧૧(૩) પર ચુકાદો આપ્યો હતો અને વિકલ્પ સ્વીકારવાનો અને વાસ્તવિક પગાર પર પેન્શન ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ દાવાઓ અમલમાં મૂકવામાં અસામાન્ય વિલંબ EPFO પર અવિશ્વાસ તરફ દોરી જાય છે. આ હકીકત માનનીય મંત્રીને પ્રકાશિત કરવામાં આવી છે. માનનીય મંત્રીએ સમય મર્યાદા ઘટાડવાનો નિર્દેશ આપ્યો હતો જો કે, તમારા દયાળુ હસ્તક્ષેપથી વિકલ્પનો વહેલામાં વહેલા નિકાલ કરવાના પ્રયાસમાં વધારો થશે. તેમ રજુઆત કરી અંતમાં પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને એવુ જણાવ્યુ છે કે આ ખુબજ સંવેદનાસભર બાબતોને ધ્યાનમાં રાખીને, અમે તમારા દયાળુ સન્માનને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ કે તમે મોંઘવારી વળતર સાથે જોડાયેલ લઘુત્તમ પેન્શન વધારવા અને વાસ્તવિક પગાર પર પેન્શનના લાભનો વહેલા નિકાલ કરવાની લાંબા સમયથી રાહ જોવાતી વિનંતીનું સમાધાન કરવાની વ્યવસ્થા કરો તેવી વિનંતી છે
_________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com