
તા. ૦૪. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આપ દાહોદ જિલ્લા દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું
આપ દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયાના નેતૃત્વમાં આપ દાહોદ દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી તટસ્થ તપાસની માંગણી કરાઈ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયાએ જણાવ્યું કે જિલ્લામાં પકડાયેલ નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના લીમખેડા,ફતેપુરા, સંજેલી તાલુકામાં નકલી કર્મચારીઓ કાર્ય કરી રહ્યા હોવાનું મીડિયાના માધ્યમથી જાણ્યું છે, અને આ નકલી કચરીઓ ઘણા સમયથી વહીવટ કરી રહ્યા હોવાનું જણાયું છે .હું પોતે માજી સરપંચ છું લીમખેડા સામે આવેલ નકલી કર્મચારીઓ ને હું વર્ષોથી ત્યાં કાર્યરત હતા તે જોતો આવ્યો છું.
સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલે જણાવ્યું કે સંજેલીમાં પકડાયેલા કથિત નકલી કર્મચારી બાબતે ડેપ્યુટી TDO સાવ ઉડાઉ જવાબ મીડિયાના માધ્યમથી આપ્યો છે જે દુઃખદ છે આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગાડા એ જણાવ્યુંકે આ તમામ કચેરીના છેલ્લા 6 મહિનાના CCTV ફૂટેજ ચેક કરવામાં આવે અને આ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે..આવનાર સમયમાં DDO સાહેબ દ્વારા આ તાલુકા કચેરીની વિઝીટ કરી સત્યતા તપાસવામાં આવે એવી રજુઆત કરાઈ છે આપ કિસાન પ્રદેશ ઉપપ્રમુખ રમસુભાઈ હઠીલાએ જણાવ્યું કે આવનાર 10 દિવસમાં આ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી દરેક તાલુકા કચેરીએ ઉપવાસ આંદોલન કરીશું




