गुजरात के हाईवे चकाचक है’-વિકાસ કોળી, NHAI 48 પરથી પસાર થતા વાહનચાલક,નવસારી જિલ્લાનો 47 કી.મી.હાઇવે ચકાચક કરાયો…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ગુજરાત રાજ્યમાં મહિનામાં બેથી ત્રણ વખત માલસામાન પહોચાડવા અવરજવર કરતા એક ટ્રક ડ્રાઇવરે જણાવ્યો પોતાનો અભિપ્રાય*
*નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.૪૮ ઉપર ૪૭ કિ.મી. વિસ્તારમાં જરૂરી માર્ગ મરામતની કામગીરી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ અમલીકરણ એકમ દ્વારા હાથ ધરાઈ.*
*પ્રજા હિતાર્થે વરસાદ ઓછો થતા એક પણ દિવસની રાહ જોયા વગર નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા નેશનલ હાઇવે રીપેર કરાયો.*
*નવસારી જિલ્લામાં NHAI, માર્ગ-મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુચારૂ સંકલન સાધી પ્રજાના હિતમાં રોડ રસ્તા રીપેરીંગની ગુણવત્તાયુક કામગીરી હાથ ધરાઇ.*
નવસારી,તા.૦૮: રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે, ગ્રામીણ તથા શહેરી માર્ગોને નુકસાન થયેલું છે. જેના કારણે નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના અને વિકાસની ધોરીનસ એવા રોડ નેટવર્કને યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા જરૂરી છે. ત્યારે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા નેશનલ હાઇવે નં.૪૮ ઉપર નવસારી જિલ્લામાંથી કુલ ૪૭.૧ કિ.મી.પસાર થાય છે, જેમા જ્યાં જરૂરી હોય ત્યાં સમારકામ / માર્ગ મરામત કરી નેશનલ હાઇવેને પુનઃ પુર્વવત બનાવાયો છે.નવસારી જિલ્લામાંથી નેશનલ હાઇવે નં.૪૮ સુરતથી GJ/MH NH-૪૮નો વિભાગ જે નવસારી જિલ્લામાંથી જલાલપોર, નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકામાંથી પસાર થાય છે. જે ૨૭૧.૫૦૦ કિ.મી થી ૩૧૮.૬૦૦ કિ.મી સુધી વિસ્તરેલો છે તથા તેની કુલ લંબાઈ આશરે ૪૭.૧૦૦ કિ.મી. છે. સાથે સાથે મહારાષ્ટ્રથી ગુજરાતમા પ્રવેશ માટે પણ આ માર્ગનો મહત્તમ ઉપયોગ થાય છે. ત્યારે રોજીંદા આવન જાવન સહિત વેપાર ધંધા માટે પણ આ હાઇવે આવશ્યક માધ્યમ છે. ગત દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડતા નેશનલ હાઇવે સહિત સમગ્ર જિલ્લાના માર્ગો ઓછાવત્તા ધોરણે નુકશાનીથી પ્રભાવિત થયા હતા. નવસારી જિલ્લા વિસ્તારનો કાર્યભાળ સંભાળતા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી સંજયકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ લોકોની સમસ્યાને ઝડપથી હલ કરવાના ભાગરૂપે નેશનલ હાઇવે ઓથોરીટીની ટીમ દ્વારા વરસાદ ઓછો થતા એક પણ દિવસની રાહ જોયા વગર હાઇવેની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરીટીની ટીમ દ્વારા સમગ્ર નવસારી જિલ્લાના વિસ્તારનું ઝીંણવટપુર્વક નિરિક્ષણ કરી ખાડાઓ કે પેચવર્કની જરૂરીયાતને નોંધ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને વધારે નુકસાન થયું હોય અથવા તાત્કાલિક મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં વિવિધ એજન્સીઓને કામગીરી સોંપી ગુણત્તાયુક્ત કામગીરી પુરી કરવામાં આવી છે. આટલુ જ નહી ઉચ્ચ અધિકારીઓએ પુરા થયેલા કામોનું સ્વયં નિરિક્ષણ કરી ગુણવત્તાની ચકાસણી કરી પણ છે.