ARAVALLI

ધનસુરા ખાતે મોડાસિયા પરગણા રોહિત સમાજ સેવા વિકાસ મંડળ છાત્રાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

મોડાસિયા પરગણા રોહિત સમાજ સેવા વિકાસ મંડળ ધનસુરા ધ્વરા છાત્રાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

મોડાસિયા પરગણા રોહિત સમાજ સેવા વિકાસ મંડળ ધનસુરા ખાતે નવીન કુમાર છાત્રાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ ભીખુ સિંહ ચતુરસિંહ પરમાર, (અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય)નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે ભીખુસિંહ ચતુરસિંહ પરમારે પોતાના પ્રવચનમાં રોહિત સમાજનો આભાર માન્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આપના સાથ અને સહકારથી સૌથી વધુ લીડ થી વિજય થયો છું તેમની દિલથી આભાર વ્યક્ત કર્યો હતો ઉપરોક્ત કાર્યક્રમ માં શ્રીમતી હેમલત્તાબેન પટેલ સરપંચ ધનસુરા ગ્રામ પંચાયત, હિરેનકુમાર પટેલ ચેરમેન બાંધકામ સમિતિ અરવલ્લી, અનિરુદ્ધસિંહ ચૌહાણ ચેરમેન આરોગ્ય સમિતિ અરવલ્લી, શ્રીમતી રેખાબેન રાઠોડ જિલ્લા પંચાયત સદસ્ય, શ્રીમતી રૂપલબેન ભટ્ટ કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત ધનસુરા, જગદીશભાઈ ગોર પ્રમુખ ભાજપા ધનસુરા, શ્રીમતી કલ્પનાબેન વણકર ચેરમેન તાલુકા પંચાયત ધનસુરા, ડો.એચ કે સોલંકી મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ, દિનેશભાઈ સોનેરી પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો અરવલ્લી, પિયુષ ચમાર મંત્રી અનુસુચિત જાતિ મોરચો અરવલ્લી,ઉપરોક્ત કાર્યક્રમ પ્રમુખ જયંતીભાઈ પ્રિયદર્શી મોડાસિયા પરગણા રોહિત સમાજ સેવા વિકાસ મંડળ અને મંત્રી કાંતિભાઈ પરમાર તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!