અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના માળકંપા ગામે ખેતરમાં ભમરાનું ઝુંડ ત્રાટક્યું,2 ખેડુતને ભમરા ડંખની ઝેરની અસર
મેઘરજ તાલુકાના માળકંપા ખાતે ખેડૂત પોતાના ખેતરની અંદર ઘઉંની પાણી આપવા માટે ભાગિયો અને ખેડૂત બન્યે ખેતરમાં ગયા હતા તે સમયે અચાનક જ ભમરાનો ઝુંડ તાટક્યું હતું અને ખેતરમાં ત્યાં કામ કરતા બે વ્યક્તિઓ ને જેમાં કરણભાઈ મથુરભાઈ ભગોરા ઉંમર 50 વર્ષ ગામ કોલુન્દ્રા અને ખેતર માલિક મણીભાઈ પટેલ ઉંમર 60 એકે વર્ષ માળકમ્પા જેઓને ભમરાઓએ ડંખ મારતા ઝેરની અસર જોવા મરી હતી ભમરા ડંખના ઝેરની અસર થતાં તત્કાલિક ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં કુલુન્દ્રા ગામના કિરણભાઈ મથુરભાઈ ભગોરા ને ભમરાના ડંખની અસર વધુ હોવાના કારણે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપીને મોડાસા સાર્વજનિક ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક ખેડૂતની તબિયત સારી જણાઈ આવી હતી