ARAVALLIGUJARATMODASA

ચોમાસા દરમિયાન રોગચાળાની કામગીરી અંગે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ચોમાસા દરમિયાન રોગચાળાની કામગીરી અંગે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ.

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય, વાહકજન્ય,મચ્છરજન્ય રોગચાળા અને સિઝનલ ફ્લૂ જેવી બીમારીઓ ને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યયોજનાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોરાનાશક કામગીરી હાથ ધરેલ છે. દરેક ગ્રામ્ય કક્ષાએ પ્રાયમરી ઇન્ફોર્મર ઉભા કરી રોગચાળાની જાણકારી સત્વરે મળે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.

તમામ આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી દવાઓ, ઇક્વિપમેન્ટ અને ઇન્જેકશનનો પણ જથ્થો ઉપલબ્ધ રાખવા સહિતની તૈયારી પુરી કરી છે. ખાસ કરીને અતિવૃષ્ટિ દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે સલામત ડિલિવરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સેલ્ટર હોમોમાં રહેલા આશ્રિતો માટે મેડિકલ ચકાસણી સુનિશ્ચિત કરવામાં આવી.

મેલેરિયા વિરોધી માસ અંતર્ગત જનજાગૃતિ શિબિરો યોજવામાં આવી રહી છે. જેમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગો અંગે સાવચેતી ઘરની આસપાસની સફાઈ, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ તેમજ મચ્છરજન્ય રોગો અને તેના અટકાયતી પગલાં, વિશે ડેમોસ્ટ્રેશન સાથે સમુદાયોમાં જન-જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું.

તા. ૧૯/૦૫/૨૦૨૫ ના રોજ સમગ્ર જીલ્લામાં ક્લોરીનેશન ડ્રાઇવ યોજાઈ, જે અંતર્ગત પીવાના તમામ સ્ત્રોતોને ક્લોરીન વડે શુદ્ધ કરવામા આવ્યા,ઘરો સુધી પહોંચી ક્લોરીનની જાળવણી અને પાણી પરીક્ષણ,ઉકાળેલું પાણી પીવું, ખુલ્લું ખોરાક કે વાસી ખોરાક ટાળો, ડાયરીયા-ઉલ્ટી આવે તો ORS નો ઉપયોગ, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન.તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન સંભવિત રોગચાળાની આગોતરી તૈયારી સાથે તમામ તંત્રો દ્વારા સુસંગત કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય માટે સહયોગ આપવો દરેક નાગરિકની જવાબદારી છે.

જન જાગૃતિ સંદેશ – ચોમાસા માટે સાવચેતી જરૂરી…આપણું આરોગ્ય આપણા હાથમાં..

Back to top button
error: Content is protected !!