GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- તાલુકાના પાનેલાવ ખાતે આવેલ ગામ તળાવમાં માછલીઓ મોટા પ્રમાણમાં મરેલી જોવા મળતા ચકચાર

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૯.૨૦૨૪

હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે આવેલ ગામ તળાવમાં સોમવારના રોજ નાની માછલીઓ મોટા પ્રમાણમાં મરેલી જોવા મળતા ગામ લોકોમાં બનાવને લઈને ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવવાની જાણ તંત્રને થતા તંત્ર દ્વારા તળાવમાં માછલીઓ મરવાની ઘટનાને લઈને રોજકામ કરી પંચકાસ કરી પાણીના નમુના લઇ તાલુકા લેબોરેટરી ખાતે પાણીના નમૂના ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા.હાલોલ તાલુકાના પાનેલાલ ખાતે આવેલ ગામ તળાવમાં માછલીઓ મરેલી જોવા મળતા ગ્રામજનોના લોક ટોળા તળાવ ખાતે એકઠા થઈ ગયા હતા. જોકે તળાવ ખાતે તળાવના પાણીમાં મોટી માછલીઓ જીવિત જોવા મળી હતી.જ્યારે નાની માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળતા બનાવ અંગે સ્થાનિક ગ્રામ પંચાયતના વહીવટ કરતા ને જાણ કરાતા પંચાયતના તલાટી ઘટના સ્થળે દોડી આવી બનાવને લઈને રોજ કામ કરી પંચકસ કરી બનાવનો સમગ્ર રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર હાલોલ તેમજ પ્રાંત અધિકારી હાલોલને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો. જોકે જાણવા મળતી માહિતી મુજબ આ અંગે પ્રાથમિક તબક્કે પંચાયતના રિપોર્ટમાં માછલીઓને મરવા અંગે કોઈ ચોક્કસ કારણ જણાઇ આવેલ ન હોવાનું તેઓએ જણાવ્યું છે.જોકે માછલીઓને મરવા અંગેના ચોક્કસ કારણ જાણવા માટે તળાવના પાણીના નમુના લઇ તાલુકા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જોકે આ પ્રકારે આ તળાવમાં માછલીઓ મરવાનો બનાવ અગાઉ અંદાજે તો ૮ થી ૧૦ વર્ષ પહેલા પણ બન્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!