GUJARATJUNAGADHKESHOD

કેશોદ નગર પાલિકા દ્વારા કેશોદ વાસીઓને મળશે એક વધુ સુવિધા

કેશોદ નગર પાલિકા દ્વારા કેશોદ વાસીઓને મળશે એક વધુ સુવિધા

ઘણા વર્ષોથી કેશોદના લોકોની માંગ હતી કે કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં નગર પાલિકા ને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરી જનો માટે એક માત્ર જાહેર ગાર્ડન છે જેને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નામકરણ કરાયેલું પરંતુ ગાર્ડનમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવી આધુનિક સગવડોનો અભાવ હોવાથી તે વધારી પૂરી પાડવા શહેરીજનોમાંથી માંગ ઉઠી હતી જેના અનુસંધાને આજરોજ નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયાએ મહાવીરસિંહ જાડેજા, ભારત વિકાસ પરિષદ નાં દિનેશ કાનાબાર,ભરતભાઈ કક્કડ,અશોક રેણુકા સાથે બગીચાની મુલાકાત દરમિયાન જણાવેલ કે અત્યારે બગીચાનું નવિનીકરણ ચાલી રહ્યું છે અને આગામી બે માસમાં આ કાર્ય પૂર્ણ થશે અને જાહેર જનતાને આધુનિક લાઈટિંગ સાથે નવા રંગરૂપ અને સગવડતાઓ થી ભરપુર બાળકો માટે અનેક વિધ રાઇડ્સ સાથે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે અને નગર પાલિકા કેશોદ નાં વિકાસ માટે નવા પ્રોજેક્ટ પણ લાવશે

 

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!