GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદા તાલુકાના ભીનાર ખાતે જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત ગૌરવરથનું હર્ષોઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત કરાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં “જનજાતિય ગૌરવ વર્ષ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીને અનુલક્ષીને અંબાજી અને ઉમરગામથી એકતાનગર તરફ “જનજાતિય ગૌરવ રથયાત્રા” પ્રસ્થાન પામી છે.

આ રથયાત્રા આજે ચીખલીમાંથી આગળ વધીને વાંસદા તાલુકાના ભીનાર ગામે પહોંચી હતી, જ્યાં સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા રથનું હર્ષોઉલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન રાજ્યના રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ, તથા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અંતમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યા બાદ રથયાત્રાને લીલી ઝંડી બતાવી આગળના મુકામે વિદાય આપી હતી.

Back to top button
error: Content is protected !!