હાલોલ:પહેલગામમાં થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત,હાલોલમાં બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૪.૨૦૨૫
જમ્મુ કાશ્મીરના પહેલગામમા થયેલા આંતકવાદી હુમલામાં નિર્દોષ પંર્યટકો ભોગ બન્યા છે.જેમા કેટલાક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે.આ આંતકવાદી હુમલામાં કેટલાક પર્યટકો મોતને ભેટ્યા છે. આ ઘટનાના દેશમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.જેને લઈને પંચમહાલ જીલ્લામા પણ આ હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.જેના પગલે હાલોલ બજરંગદળ દ્વારા આંતકવાદીઓના પુતળાદહન કરવામા આવ્યુ હતુ.અને આ હુમલાઓના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી હતી.જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંત સહ સહયોજક જલ્પેશભાઈ સુથાર, હાલોલ પ્રખંડ સહયોજક હકાભાઈ ગઢવી, પ્રખંડ સહ સહયોજક રવિભાઈ સોલંકી નગર સહયોજક નિમેષભાઈ ગરવાલ, સામાજિક આગેવાન વિનોદભાઈ વાલાણી, નીતિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.અને જલ્પેશભાઈ સુથારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલામાં નિર્દોષ પર્યટકોને નિશાન બનાવવું અત્યંત નિંદનીય અને પીડાદાયક છે.આ હુમલામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ પ્રતિ બજરંગદળ સંવેદના વ્યક્ત કરે છે અને જેહાદી આતંકવાદ નો સખત વિરોધ કરે છે.