GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શહેરના લીમડી ફળિયા ખાતે ઝીક્રે સૈયદના ઈમામ હુસૈન વ શોહદાએ કરબલાની યાદમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો 

 

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૭.૨૦૨૫

સમગ્ર વિશ્વમાં છેલ્લાં કેટલાક દિવસોથી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હાલોલ શહેરના લીમડી ફળિયા ખાતે હુસેની કમિટી દ્વારા શોહદાએ કરબલા ની યાદમાં કુરાનખ્વાની, ઝીક્ર શરીફ ,મિલાદ શરીફની ભવ્ય ધાર્મિક કાર્યક્રમ વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના નાયબ ગાદીપતિ સૈયદ કબીરૂદ્દીનબાબા કાદરી ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો.કરબલાનાં મેદાનમાં 72 સાથીદારો સાથે શહિદી વહોરી લેનાર ઈમામહુશેનની યાદમાં મુસ્લિમ બિરાદરો મહોરમ પર્વ મનાવે છે. ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયંગબર સાહેબનાં દોહિત્ર હઝરત ઈમામહુશેન સત્ય માટે ઈરાકનાં કરબલામાં 72 સ્વજનો સાથે શહીદી વહોરી હતી.જેને લઈને તેઓની યાદમાં યાદે હુસૈન ના ભવ્ય ક્રાયક્રમ યોજાયો હતો જેમાં નાત શરીફ તેમજ મેહમિલે મિલાદ નો કાર્યકમ યોજાયો હતો અને ત્યારબાદ સલાતો સલામ બાદ વિશેષ દુવા કરવામાં આવી હતી અને ત્યારબાદ હુસેની કમિટી દ્વારા નિયાઝ તકસીમ કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં અંકિદત મંદો ઉમટ્યા હતા અને કાર્યક્રમનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!