BANASKANTHATHARAD

થરાદમાં પરંપરાગત વેશભૂષા, રેલી સાથે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

થરાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શહેરના મુખ્ય માર્ગો પરથી શરૂ થયેલી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના પુરુષો બાળકો જોડાયા હતા. તેઓ હાથમાં ઝંડા, બેનરો અને સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે નગરમાં ફર્યા હતા. નગરજનોએ રેલીનું વધામણું કર્યું હતું.રેલી બાદ આયોજિત મુખ્ય કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો અને આમંત્રિત મહાનુભાવોએ પ્રવચનો આપ્યા હતા. તેમણે વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ સમજાવ્યું હતું. ભાષણોમાં આદિવાસી સમાજના ઇતિહાસ, પરંપરા, સંસ્કૃતિ અને હક્કોની જાગૃતિ અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં આદિવાસી લોકનૃત્યો, લોકગીતો અને સાંસ્કૃતિક રજૂઆતોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આસાંસ્કૃતિક રજૂઆતોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત આદિવાસી કલા અને હસ્તકલા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.સ્થાનિક પ્રશાસન, શિક્ષણ સંસ્થાઓ, સમાજસેવી સંસ્થાઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે આયોજનમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભાગ લેનારાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!