BANASKANTHATHARAD
ડેલ ગામે ધનુબા વનરાજસિહ દેવડા સરપંચ પદે વિજયી બન્યા

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના ડેલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રિપાયો જંગ જામ્યો હતો. જેમાં ધનુબા વનરાજસિહ દેવડા સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું અને 269 વોટથી વિજય મેળવ્યો હતો. જેમાં કુલ 857 મત મેળવી વિજય થયા હતા. થરાદ તાલુકાના ડેલ ગામના ધનુબા વનરાજસિહ દેવડા સરપંચ માટે ઉમેદવારી કરી અને વિજયી થયેલ છે. જેમાં ગામના પડતર પ્રશ્નો જેવા, કે પાણી. ગટર ની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યાઓ જેવી અનેકવિધ સમસ્યાઓ નું નિરાકરણ આવશે તેવા વિકાસના કાર્યો કરીશું તેવું ગામ લોકોને વચન આપ્યું હતું.




