વ્યજખોરીનું દૂષણ ડામવા પોલીસની પહેલ : રાજપીપળા ખાતે લોન મેળાનું આયોજન કરાશે
નર્મદા જિલ્લાના અંબુભાઇ પુરાણી મહાવિધાલય રાજપીપલા ખાતે લોન/ધિરાણ મેળો યોજાશે
જરૂરીયાતમંદ નાગરીકોને લોન/ધિરાણ મેળાનો લાભ લેવા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકનો અનુરોધ
રાજપીપલા : જુનેદ ખત્રી
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બેન્કો મારફતે ખુબ જ ઓછા વ્યાજના દરે ધિરાણ તેમજ આ ધિરાણની સાથે સબબીડી પણ આપવામાં આવે છે. જરૂરીયાતમંદ પ્રજાજનોને કેટલાંક કિસ્સામાં આ પ્રકારની લોન કયાંથી મેળવવી તેનુ જ્ઞાન હોતું નથી જેના અભાવે આવા લોકો ખોટા વ્યાજખોરોની જાળમાં ફસાઇ જતા હોય છે.
આ પરીસ્થિતિનું નિર્માણ ટાળવા તેમજ સામાન્ય પ્રજાજનોને લોન/ધિરાણ સરળતા પુર્વક મળી રહે તેમજ જરૂરીયાતમંદ નાગરિકો વધુમાં વધુ વ્યાજબી દરે લોન/ ધિરાણ મેળવી શકે તે માટે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ બેંકો તેમજ કચેરીના સહયોગથી તા.૦૬/૦૨/૨૦૨૩ ને સોમવારના રોજ સવારે ૦૯=૩૦ કલાકે અંબુભાઇ પુરાણી મહાવિધાલય રાજપીપલા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જરૂરીયાતમંદ નાગરીકોને જરૂરી દસ્તાવેજો સાથે ઉપરોકત લોન/ધિરાણ મેળાનો લાભ લેવા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજપીપલા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.