MORBI:મોરબીમાં અપહરણ તથા પોકશો કેશના મુખ્ય આરોપીનો જામીન પર છુટકારો.
MORBI:મોરબીમાં અપહરણ તથા પોકશો કેશના મુખ્ય આરોપીનો જામીન પર છુટકારો.
મોરબી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના ફરીયાદીની દીકરીને તા.૨૩/૦૩/૨૫ ના સવારના આશરે દસેક વાગ્યાના સુમારે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ જઈ આરોપી ધમ્મરનાથ ઉર્ફે વિશાનાથ રૂમાલનાથ પઢીયાર નાએ ફરીયાદીની સગીર વયની દીકરી સાથે તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી ઉગ્ર જાતીય પ્રવેશ હુમલો કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસે બી.એન.એસ એકટની કલમ-૧૩૭(૨), ૬૪(૨)(એમ), ૫૪ તથા પોકસો એકટની કલમ-૪,૬,૧૭ મુજબનો ગુનો નોંધી આરોપી ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયારઓની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપી ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયારએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.