GUJARATKHERGAMNAVSARI

ખેરગામ: આછવણી પ્રગટેશ્વર ધામ માં 7ઓક્ટોબર થી ભાગવત કથાનો આરંભ થશે

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ધર્મઆચાર્ય પૂજ્ય પ્રભુદાદાની પેરણાથી આગામી તાં.7 થી 13 ઓક્ટોબર દરમ્યાન આછવણી પ્રગટેશ્વર ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુકલની શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,જેનું શ્રીફળ મુહૂર્ત કથાકાર પ્રફુલભાઈ શૂકલના હસ્તે પૂજ્ય પરભુદાદા તેમજ શિવ પરિવારના પ્રમુખ બીપીનભાઇ પરમાર,અપ્પુભાઈ પટેલ,અમિતભાઇ પટેલ,કૃપાશંકર યાદવ,બીપીનભાઈ રાજગુરુ,આચાર્ય કશ્યપ જાની, ચિંતન જોશીની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું હતું.પરભુદાદાએ જણાવ્યું કે સમગ્ર પિતૃઓના મોક્ષર્થે આ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેની પોથીયાત્રા ખેરગામમાંથી પ્રફુલભાઈ શુકલના નિવાસેથી તા.7મી ઓક્ટોબર સવારે 9 કલાકે પ્રસ્થાન થશે.જેમાં શિવ પરિવાર,રાધેશ્યામ પરિવાર,મહિલા મંડળ અને વાજા વાજિંત્રો સાથે જોડાશે.કથાનો સમય દરરોજ સવારે 9થી12 રહેશે.કથા દરમ્યાન દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.કથામાં સંતોમહંતો,કથાકારો ઉપસ્થિત રહી આશીર્વચન આપશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!