રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો

સમીર પટેલ, ભરૂચ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ અર્પણ કરી ભાજપના આગેવાનો ધરણા પર બેઠા હતા જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ,વિનોદ પટેલ,ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અંગે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધી છે,વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધી અનામત ખતમ કરવાની વાત કરે છે જે ક્યારેય પણ ચલવી નહીં લેવાય.



