BHARUCHGUJARAT

ભરૂચ : મામલતદાર કચેરી ભરૂચ દ્વારા રેશનકાર્ડ પર મતદાન જાગૃતિના સ્ટેમ્પ લગાવી જાગૃતિ લાવવાનો નવતર પ્રયાસ

ભરૂચ : મામલતદાર કચેરી ભરૂચ દ્વારા રેશનકાર્ડ પર મતદાન જાગૃતિના સ્ટેમ્પ લગાવી જાગૃતિ લાવવાનો નવતર પ્રયાસ

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૯/૦૪/૨૦૨૪

 

લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી – ૨૦૨૪નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

 

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતતા કેળવાઈ તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના દિશા-નિર્દેશ મુજબ મતદાન જાગૃતિ લાવવાનો નવતર અને અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

 

કચેરી દ્વારા વીજ બિલ પર “તા.૦૭ મેના રોજ અચૂક મતદાન કરે તથા “મતદાન જરૂર કરીએ” નો સંદેશ પાઠવતા સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. લોકો સુધી રૂબરૂ પહોંચતા રેશન કાર્ડ પર લગાવેલા સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવાનો આ પ્રયાસ સરાહની

ય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!