BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ ખાતે આંગણવાડી ના શિશુઓ માટે આંગણવાડી ડેવલોપમેન્ટ પોગ્રામ ઓફીસરનો નવતર અભિગમ.

 

 

 

નેત્રંગ ખાતે કાર્યરત એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકાની ૩૭ જેટલી આંગણવાડીમાં શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડી રહ્યાં છે.

જેમાં એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા આ આંગણવાડીઓમાં હેન્ડ બુક અને આંગણવાડીના વર્કોરોને પણ મોડ્યુલ બુક કે જે શિશુઓને સરળતાથી ભણાવી શકાય એ હેતુ થી આ બુકો આપવમાં આવે છે. સાથે વાત કરીએ તો એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા દર માસે આંગણવાડી વર્કોરોની તાલીમ પણ આપવામાં આવે છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે એસ.આર.એફ ફાઉન્ડેશન નેત્રંગ ખાતે આંગણવાડી ડેવલોપમેન્ટ પોગ્રામ ઓફીસર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન વસાવાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે એક નાનકડા પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં ત્રણ અલગ અલગ આંગણવાડી ના ૫૦ જેટલા શિશુઓને સાથે નેત્રંગ વન વિભાગના ફોરેસ્ટ નર્સરી ખાતે ચાલતા વનશ્રી રેસ્ટોરન્ટ અને ધ રૂરલ મોલના પ્રવાસે લઈ જવાયા હતા. જ્યાં આ શિશુઓની વિશ્વ પર્યાવરણ દિવસ ની થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ આવનાર બાળકોને જાગૃતિ વસાવા દ્વારા કંપાસ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તમેજ ડાન્સ અને વિવિધ રમતો પણ કરાવી હતી.

 

એસ.આર.એફ ફાઉન્ડેશનમાં નેત્રંગ ખાતે આંગણવાડી ડેવલોપમેન્ટ પોગ્રામ ઓફીસર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન વસાવા દ્વારા બંને આંગણવાડી કેન્દ્ર ના શિશુ ઓને પ્રાકૃતિ પ્રવાસ સાથે અલ્પહાર ભોજન કરવું હતું. બાળકો એ આ પરિસરમાં ખૂબ કલરવ થી હિર્ષઉલ્લાસ થી પ્રવાસ નો આનંદ માણ્યો

હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!