
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે બાળમેળો યોજાયો. શિક્ષણ નીતિ ૨૦૨૦માં બાળકના સર્વાંગી વિકાસ માટે સહઅભ્યાસિક પ્રવૃતિઓને અભ્યાસ જેટલુ જ મહત્વ આપવામાં આવ્યુ છે. જે અંતર્ગત તારીખ ૦૧ થી ૧૫ જુલાઇ ૨૦૨૫ દરમિયાન GCERT દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ ૧ થી ૫ માં બાળમેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગ રૂપે નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે આચાર્ય પિયુષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૫ ના ૧૪૦ જેટલી વિધાર્થિનીએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.



