ભરૂચ જિલ્લા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા તેમજ અન્ય મહાનુભાવોએ મોબાઈલ વેટરનિટી યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
ભરૂચ- બુધવાર – ભરૂચ જિલ્લા ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડ ગુજરાત રાજ્ય સરકારશ્રી,પશુપાલન વિભાગ, EMRI GHS દ્વારા સંચાલિત નવીન ફરતું પશુ દવાખાનાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં મોબાઈલ વેટરનિટી યુનિટી ભરૂચ તાલુકાના ઠીકરીયા વિસ્તાર, વાગરા તાલુકાના દહેજ વિસ્તાર, નેત્રંગ તાલુકાના મોટા માલપોર વિસ્તાર, અંક્લેશ્વર તાલુકાના અડોલ વિસ્તારો માટે જિલ્લા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા અને અન્ય મહાનુભાવોના હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાને લીલી ઝંડી આપી હતી.
આ તબક્કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી,આરોગ્ય સમિતિ અધ્યક્ષશ્રી તથા નાયબ પશુપાલન અધિકારીશ્રી, 1962 તથા 10MVD ના પ્રોગ્રામ મેનેજરશ્રી અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી તથા અન્ય જિલ્લા સદસ્યોશ્રી અને તાલુકા સદસ્યોશ્રી ઉપસ્થિતિ રહ્યા હતા.