આણંદ હરીઓમ દાલ બાટીના પનીરના નમૂના અખાદ્ય જાહેર
આણંદ હરીઓમ દાલ બાટીના પનીરના નમૂના અખાદ્ય જાહેર
આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી તહેવાર ટાણે 37 થી વધુ એકમો તપાસ હાથધરી ખાદ્યપદાર્થના નમુના લીધા હતા.તેમાંથી બે લુઝ પનીરના નમુના લઇને એક આઇસ્ક્રીમના નમૂના પૃથ્થકરણનો રીપોર્ટ માં ત્રણે ખાદ્યપદાર્થમાં ભેળસેળ તેમજ વાસી ચીજવસ્તુઓ ઉપયોગ કરાયો હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર કરીને એડજ્યુડેકેશન કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આણંદ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા ખાદ્યચીજના નમૂના પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા, તે ખાદ્ય ચીજના નમૂનાઓ કાયદામાં ઠરાવેલ ધારા-ધોરણ મુજબના ન હોય સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં એડજ્યુડેકેશન કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમૂના લીધેલ ખાદ્યચીજના વેપારી એકમોમાં આણંદ તાલુકાનાના વહેરાખાડી ના મહિસાગર કિરણા સ્ટોરના ઘી ( લૂઝ), સહયોગ રેસ્ટોરન્ટ, આણંદ તથા હરીઓમ દાલબાટીના પનીર (લુઝ), ગુજરાત કો.ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન લી.ના અમુલ આઈસ લોંઝના ગ્રીક યોગો બેરી આઈસ્ક્રીમના નમૂના સબ સટાન્ડર્ડ જાહેર કરાયા છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.