ભરૂચ જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ સાફ શેરી સાફ રસ્તા સફાઈ અભિયાન હાથ ધરાયું
ભરૂચ જિલ્લાના ગામડાઓની તમામ શેરીઓ, રસ્તાઓ, જાહેર સ્થળો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ- બુધવાર – નિર્મળ ગુજરાત ૨.૦ ની થીમ સાફ શેરી સાફ રસ્તા સફાઈ અંતર્ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન જિલ્લા કક્ષાના નેજા હેઠળ તાલુકા કક્ષાએથી આઈ.ઈ.સીની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં કાયમી કચરાના સ્થળો ઉપર વૃક્ષારોપણ અંગેની ઝુંબેશ, બજાર, બસ સ્ટેન્ડ, જાહેર ઉદ્યાનો જેવી જગ્યાઓની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવું, ગાર્બેજ વનરેબલ પોઈન્ટની ઓળખ કરવી અને ગંદકીના પરિણામોનો સંદેશ ફેલાવવો વગેરે જેવી પ્રવૃત્તિઓ નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન કરવામાં આવી રહી છે. તેને અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લાના ગામડાઓની તમામ શેરીઓ, રસ્તાઓ, જાહેર સ્થળો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સફાઈ કર્મીઓ અને અન્ય સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લાના ગામમાં શેરીઓ તેમજ રસ્તાઓ ઉપર સાફ-સફાઈની કામગીરી કરી હતી અને સ્વચ્છતા અભિયાનમાં આપણે સૌ પણ સહભાગી બનીએ અને આપણી આસપાસ સ્વચ્છતા જાળવણી રાખીએ. જ્યારે શાળાઓમાં સ્વચ્છતાની જાગૃતિ માટે રેલી, ચિત્ર સ્પર્ધા વગેરે પ્રવૃતિઓ યોજવામાં આવી હતી.
નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કે.જી વાધેલા, સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કો- ઓડીનેટર અને આઈ.ઈ.સી. સ્ટાફ અને તેમની ટીમ દ્નારા નિર્મલ ગુજરાત ૨.૦ ને સુપેરે પાર પાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.