
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૨૩/૦૮/૨૦૨૪
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના નવી વસાહત ફળીયામાં રહેતા સતીષભાઇ વનમાળીભાઇ રાઠોડ (ઉ.૫૫) ગામના પાદરે આવેલ ચેકડેમમાં સવારના સમયે પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા.બનાવની જાણ ગ્રામજનો થતાં નેત્રંગ મામલતદાર રિતેશ કોંકણી પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સતીષભાઇ રાઠોડને બચાવાના પ્રયત્નો હથધર્યા હતા. પરંતુ પાણીમાં અંદર ખેંચાતા ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. મૃતકનો મૃતદેહ બહાર કાઢવા માટે ઝઘડીયા જી.આઇ.ડી.સી માંથી બે ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર આવી પોહંચી અને જવાનો મૃતદેહને બહાર કાઢવા માટે જીવના જોખમે દોરડા બાંધી પાણીમાં ડુબકી લગાવી રેસ્ક્યું ઓપરેશનની કામગીરી દરમ્યાન મૃતદેહને શોધી કાઢ્યો હતો. કેલ્વીકુવા ગામે ચેકડેમમાં ડુબી જવાથી એકનું મોત અને મૃતદેહને બહાર કાઢવાના રેસ્ક્યું ઓપરેશનની કામગીરી ચાલતી હોવાનું માલુમ પડતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.



