ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા સ્થિત બાલમશાહ બાવા ના ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા સ્થિત બાલમશાહ બાવા ના ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદલ શરીફ ઉમલ્લા ખાતે રહેતા હબીબ ભાઈ ચૌહાણના નિવાસ્થાને થી નિશાના સાથે જુલુસ ની સકલમાં સંદલ શરીફ નીકળી રાયસીંગપુરા ખાતે બાલમશાહ બાવા ની દરગાહ પર પોહચ્યુ હતું.જ્યાં રાજપીપલા થી પધારેલ પીરે તરીકત સૈયદ સુબહાની મિયા અશરફી ના હસ્તે સંદલ શરીફ (ચંદન) ચડાવી મુખ્ય રસમ અદા કરાઇ હતી અને દરગાહ શરીફ પર ખાસ દુઆ કરવામાં આવી હતી ત્યાર બાદ નીયાજ નો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ દરગાહ પર હાજરી આપી ધન્યતા અનુભવી હતી
ઈરફાન ખત્રી
રાજપારડી