23-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ : – રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ
માંડવી કચ્છ :- શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર સંસ્થામાં રહેતાં દિવ્યાંગ અંત્યવાશીઓને પીવા માટે ફિલ્ટર પાણી મળી રહે તે માટે સંસ્થાનાં ટ્રસ્ટી છાયાબેન લાલન કોડાય ની પ્રેરણાથી. સંસ્થાનાં મંત્રીશ્રી હોથુજી પી.જાડેજા , ટ્રસ્ટીશ્રી માનસંગજી સોઢા,છાયાબેન લાલન,નેહારભાઈ લાલન,વ્યવસ્થાપકશ્રી ખુશાલ ગાલા વગેરે ની ઉપસ્થિતીમાં આરોપ્લાન્ટના દાતાશ્રી પ્રેમીલાબેન લક્ષ્મીચંદ પાશુભાઇ ગડા ગામ કોડાય નાં શુભ હસ્તે રીબીન કાપી આરો પ્લાન્ટ નુ ઉદ્દઘાટન કરવામાં આવેલ. કાર્યક્રમ ના અંતે સંસ્થાના મંત્રીશ્રી હોથુજી પી. જાડેજાએ દાતાશ્રી તરફથી મળેલ આરોપ્લાન્ટ ના યોગદાન બદલ દાતાશ્રીનો નુ આભાર વ્યક્ત કરેલ.