વિજાપુર ફલુ ગામે આરોગ્યની ટીમ દ્વારા આંગણવાડી માં ભણતા બાળકોના સ્વસ્થ્ય કાર્યક્રમ માંએક આંખે દેખતા બાળકની સર્જરી કરી દેખાતી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફલુ ગામની આંગણવાડી માં ભણતા બાળકો નો સ્વસ્થ્ય ને લઈને થોડા દિવસો પહેલા આરોગ્ય ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં એક બાળકની આંખ ખુબજ નમી ગયેલ હોવાથી આરોગ્ય ની ટીમે તેની આંખ ટોસીસ નામની બીમારી થી પીડિત હતી. જેને સારવાર માટે બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માં સીવીલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવતા અમદાવાદ સિવિલ કેમ્પસ માં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થોમોલીજી નેત્ર સર્જન પાસે રાષ્ટ્રીય બાલ સ્વસ્થ્ય યોજના અંતર્ગત સર્જરી કરવામાં આવી હતી.જેમાં વિનામૂલ્યે આ સર્જરી નો લાભ મેળવતા બાળક બન્ને આંખે દેખતો થયો હતો.જેને લઇને બાળકના પરિવાર જનો માં ઉભી થયેલ ચિંતા નો નિવારણ આવ્યો હતો ઓપરેશન ડો મનીષ પટેલ અને ડૉ કુશા પટેલ ની ટીમે સફળ બનાવ્યો હતો.