GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર પોલીસ મથકના પીઆઈ વનરાજ સિંહ ચાવડા ની ભાવભીની વિદાય નવા આવેલ પીઆઈ ડી આર રાવ આગામી દિવસોમાં ચાર્જ લેશે

વિજાપુર પોલીસ મથકના પીઆઈ વનરાજ સિંહ ચાવડા ની ભાવભીની વિદાય નવા આવેલ પીઆઈ ડી આર રાવ આગામી દિવસોમાં ચાર્જ લેશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ મથકના પીઆઈ વનરાજસિંહ ચાવડા ની સાંથલ પોલીસ મથકે બદલી કરવા મા આવતા તેઓનો વિદાય સભારંભ યોજાયો હતો. પોલીસ અધિકારી તરીકે તાલુકામાં એક ઉમદા અધિકારી તરીકે ફરજ બજાવી છે. ગુનાખોરી ડામવા માટે તેઓએ કઠણ નિર્ણય પણ લીધા હતા. દારૂ જુગાર જેવા બદીઓ નાથવા માટે સરસ પ્રયાસ કર્યા હતા. છેલ્લે તેઓને વિદાય આપતા પોલીસ કર્મચારી ઓ તેમજ ઉપસ્થિત લોકો ભાવ વિભોર બન્યા હતા. અને ગુલાબ ના ફૂલો ની વર્ષા કરી વિદાય આપવા મા આવી હતી. જોકે નવા પીઆઈ તરીકે મૂકવા મા આવેલ અધિકારી ડી આર રાવ આગામી દિવસો મા ચાર્જ લેશે જેની રાહ જોવાઇ રહી છે.

Back to top button
error: Content is protected !!