ભરૂચ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી !



સમીર પટેલ, ભરૂચ
આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી
ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,મહામંત્રી નીરલ પટેલ, કનુ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




